– પંડિત જવાહરલાલ નેહરુ
"હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહીં અને પત્રકારત્વ જેવો કોઈ વ્યવસાય નહીં." - કાંતિ ભટ્ટ
Sunday, November 13, 2022
સ્વતંત્રતાની સવાર
મધ્યરાત્રિના આ સમયે જ્યારે વિશ્વ આખું નિદ્રાધીન છે ; ભારતમાં જીવન આંખો ખોલી રહ્યું છે , સ્વતંત્રતાની સવાર પડી છે . ઈતિહાસમાં એવી અતિદુર્લભ ક્ષણો આવે છે જ્યારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ ; જ્યારે એક યુગનો અંત આવે છે અને જયારે રાષ્ટ્રના દીર્ઘકાળથી અવરુદ્ધ પ્રાણને નવજીવન મળે છે . આ અપૂર્વ ક્ષણે આપણે ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ ...
હિન્દ સ્વરાજ
13 November 1909
Gandhiji left England for South Africa and wrote ”Hind Swaraj” on board S.S. Kildonan Castle.
ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા ઇંગ્લેંડથી રવાના. એસ.એસ. કિલ્ડૉનન કેસલ જહાજમાં ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું.
Saturday, November 12, 2022
જાહેર સેવા પ્રસારણ દિવસ
જાહેર સેવા પ્રસારણ દિવસ
આજે જાહેર પ્રસારણ સેવા દિવસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વર્ષ 1947માં આજના દિવસ આકાશવાણી દિલ્હીના સ્ટુડિયોમાં પ્રથમવાર ગયા હતા, તેની સ્મૃતિમાં આજના દિવસની પ્રસારણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
એ દિવસ, મહાત્મા ગાંધીજીએ દેશના વિભાજન બાદ વિસ્થાપિત થયેલા અને હંગામી ધોરણે હરિયાણાના કુરૂક્ષેત્રમાં રખાયેલા લોકોને આકાશવાણી પરથી સંબોધન કર્યું હતું.
Friday, November 11, 2022
Thursday, November 10, 2022
ઇલાબેન ભટ્ટને શ્રધાંજલિ
તારીખ 10/11/2022 ને ગુરૂવારના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી, ગુજરાત વિદ્યાપીઠ હાલના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રત, ઇલાબેન ના પરિવાર માંથી મિહિરભાઈ અને રીમાબેન, ગુજરાત વિદ્યાપીઠ ના કુલનાયક શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, અને રજીસ્ટ્રાર શ્રી નિખિલભાઇ ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ગુજરાત વિદ્યાપીઠ પરિવારે ઇલા બહેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, ઈલાબેન ના દીક્ષાંત પ્રવચનો સાંભળી આજે પણ વિદ્યાર્થી અને સેવકો એ બોધ પાઠ મેળવ્યો હતો, વિદ્યાર્થીઓ દ્વારા ઈલાબેન સાથે ના વ્યક્તિગત અનુભવો ની ખુબજ નિખાલસ પણે વાત કરવામાં આવી ત્યારબાદ ઈલાબેન ના પુત્ર મિહિરભાઇ દ્વારા ઈલાબેન ને લખેલ છેલ્લા દીક્ષાંત પ્રવચનમાં બોલવાની વાતો જે નાદુરસ્ત તબિયત ને કારણે ઈલાબેન બોલી ન શક્યા તેને તેમનું તેમનાજ શબ્દો માં વાંચન કર્યું ત્યારબાદ કુલનાયક અને કુલપતિ દ્વારા ઈલાબેન ને શાબ્દિક શ્રધાંજલિ અપાઈ અને અંતે નીખીલભાઈ દ્વારા શોક ઠરાવ નું વાંચન કરવામાં આવ્યું અને તેમની આત્માને શાંતિ મળે તે માટે મોન રાખ્યું હતું.
Wednesday, November 9, 2022
જીંદગી
તને જોવી, તને જાણવી, તને માણવી, તને પરખવી, શું આ મજા છે જિંદગી,
ક્યારેક તું મજાની તો ક્યારેક સજાની છે જિંદગી,
વિચારતો હતો ભાર્ગવ કે જિંદગીમાં અનુભવો ક્યારેક સારા ને મોટા ભાગના ખરાબ મળે છે,
સમજ પડી તો ખબર પડી કે સારા ખરાબ નહીં દરેક અનુભવ અલગ દે છે આ જિંદગી,
ક્યારેક તું મજાની તો ક્યારેક સજાની છે જિંદગી,
ઘણા લોકો પ્રશ્ન કરે કાલનો દિવસ કેવો હશે,
ઘણા લોકો જવાબ આપે આજનો હતો એવો જ હશે,
આજથી કંઈક અલગ હશે એ હંમેશા નો જવાબ તારો એ જિંદગી
Monday, November 7, 2022
चल कहीं पर चलते हैं
चल कहीं पर चलते हैं,
गाड़ी से नहीं आज पैदल चलते हैं,
जाना कहां है पता नहीं, मंजिल का कोई ठिकाना नहीं,
बस जी करता है अपने संग रहने का,
चल कहीं पर चलते हैं,
औरों के साथ तो बहुत घूमे,
गैरों के साथ भी रिश्ते बुने,
भार्गव थोड़ा निकाल समय अपने लिए,
चल कहीं पर चलते हैं।
Subscribe to:
Posts (Atom)